શિયાળાનાં સુપરફૂડમાં પાલક સામેલ કરવાથી થતાં ફાયદાઓ વિશે જાણો..!
લીલા પાંદડાવાળી શાકભાજીઓ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, ખાસ કરીને વાત કરીયે તો પાલકને સુપરફૂડ કહેવામાં આવે છે. પાલકમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને આર્યન મળી આવે છે, પાલક કેટલાય પોષકતત્ત્વોથી ભરપૂર હોવાથી તેને સ્કિન, વાળ અને હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ ઉપરાંત કેટલાય પ્રકારની ગંભીર બીમારીઓને પણ સમુર્ણ કંટ્રોલ…

લીલા પાંદડાવાળી શાકભાજીઓ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, ખાસ કરીને વાત કરીયે તો પાલકને સુપરફૂડ કહેવામાં આવે છે. પાલકમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને આર્યન મળી આવે છે, પાલક કેટલાય પોષકતત્ત્વોથી ભરપૂર હોવાથી તેને સ્કિન, વાળ અને હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
આ ઉપરાંત કેટલાય પ્રકારની ગંભીર બીમારીઓને પણ સમુર્ણ કંટ્રોલ કરે છે. જાણો અહી પાલક ખાવાના કેટલાક ફાયદાઓ.
(1) કેન્સરને અટકાવે છે :- પાલકમાં વધુ પ્રમાણમાં જેક્સૈન્થિન અને કૈરોટીનૉયડ મળી આવે છે જે શરીરમાંથી ફ્રી રેડિકલ્સને બહાર કાઢવાનું કામ કરે છે. એટલા માટે પાલક ખાવાથી શરીરમાં બીમારીઓથી આપણને બચાવવા માટે મદદરૂપ નીવડે છે .
(2) શરીરની ઇમ્યૂનિટી વધારે છે :- વિટામિન A પાલકમાં મળી આવતાં શ્વાસ સંબંધિત બીમારીઓને દૂર કરે છે અને શરીરમાં લાળ બનવા દેતું નથી. દરરોજ એક કપ પાલક ખાવાથી ઇમ્યૂનિટી મજબૂત થાય છે અને શરીર આખો દિવસ એક્ટિવ રાખે છે .
(3) શરીરના હાડકાંને મજબૂત બનાવે છે :- વિટામિન K પાલકમાં હોય છે જે હાડકાં માટે સારું ગણવામાં આવે છે. એક કપ પાલકમાં 250 મિલીગ્રામ કેલ્શિયમ મળી આવે છે જે દાંત અને હાડકાં માટે જરૂરી હોય છે. પાલક ફ્રેક્ચરનું જોખમ ઓછુ કરે છે અને પાલખ ખાવાથી હાડકાં મજબૂત બને છે.
(3) આંખો માટે ખૂબ લાભદાયી :- વિટામિન A પાલકમાં મળી આવતા આંખોની રોશની વધારે છે. પાલકમાં એન્ટી-ઑક્સીડેન્ટમળી આવતા મોતિયા અને આંખોની અન્ય સમસ્યાઓથી બચાવે છે જેથી આંખો માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.
(4) વજન ઘટાડવામાં મદદરૂપ બને છે :- પાલકમાં ઘણા ઓછા પ્રમાણમાં કેલોરી હોય છે અને આ ફાઇબરથી ભરપૂર હોય છે. દરરોજ પાલક ખાવાથી પેટ ભરાઇ જાય છે અને જલ્દી ભૂખ લાગતી નથી. અને જો તમે વજન ઘટાડવા ઇચ્છો છો તો પોતાના વેટ લોસ ડાયેટમાં પાલક જરૂરથી સામેલ કરો જે વજનને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
(5) શરીરને રિલેક્સ રાખે છે :- તેમાં ઝિન્ક અને મેગ્નેશિયમ સારા પ્રમાણમાં મળી આવે છે, જેથી તે આપણાં મગજને શાંત અને તણાવમુક્ત રાખે છે . પાલખ કેટલાય પ્રકારની માનસિક બીમારીઓને ઠીક કરે છે. દરરોજ પાલક ખાવાથી બોડી રિલેક્સ રહે છે અને ઊંઘ સારી લાવવામાં મદદ કરે છે .
(6) મગજને સ્ટ્રોંગ/તેજ કરે છે :- પાલક ખાવાથી મગજ તેજ રહે છે, ખાસ કરીને વૃદ્ધાવસ્થામાં નબળી યાદશક્તિની સમસ્યા રહેતી નથી. તેમાં વિટામિન K મળી આવે છે જે નર્વસ સિસ્ટમને મજબૂત બનાવે છે અને મગજને એક્ટિવ રાખે છે.
(7) ખીલને રોકે છે :- પાલક સ્કિન માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. આ શરીરમાંથી સોજો ઓછો કરે છે જેનાથી ખીલની સમસ્યા થતી નથી અને સ્કિન ચમકદાર બને છે. પાલક ખાવામાં જ નહીં પરંતુ ફેસપેક સ્વરૂપે પણ કામ આવે છે. પાલકની પેસ્ટ બનાવીને તેનો ફેસમાસ્કની જેમ લગાઓ અને 20 મિનિટ માટે રહેવા દો. તેનાથી સ્કિનના બધા ડાઘ-ધબ્બા દૂર થઇ જાય છે.
(8) હૃદયની બીમારીઓને અટકાવે છે:- ધમનીઓમાં ચરબી જમા થવાને કારણે સ્ટ્રોક અને એથેરોસ્ક્લેરોસિસનું જોખમ વધી જાય છે. પાલકમાંથી મળી આવતું લ્યૂટિન હૃદય સંબંધિત બીમારીઓ થતાં અટકાવે છે.
(9) હાઇબ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે :- પોટેશિયમ પાલકમાં વધુ પ્રમાણમાંમળી આવે છે, જે હાઇ બ્લડ પ્રેશરવાળા દર્દીઓ માટે જરૂરી હોય છે. પોટેશિયમ શરીરમાંથી સોડિયમનું પ્રમાણ ઘટાડે છે, એટલા માટે તેને હાઇ બ્લડ પ્રેશરમાં ઘણું ફાયદાકારક માનવામાં આવે છે.