રાશન કાર્ડ દ્વારા વૃદ્ધોને દર મહિને મળે છે આ ખાસ સુવિધા, તમે ભૂલતા નહીં લાભ ઉઠાવવાનું
ભારતના દરેક નાગરિક માટે રાશન કાર્ડ એ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંનું એક છે. રાશન કાર્ડથી સરકાર લોકોને સબસિડી અંતર્ગત અનાજ આપે ફાળવે છે.રાશન કાર્ડ વૃદ્ધોને ઘણાં ફાયદા પણ આપે છે.લોકોને સબસિડી અંતર્ગત અનાજ આપે છે. રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલું આ કાર્ડ વૃદ્ધોને ઘણાં ફાયદા પણ આપે છે.
રાજ્ય સરકારનો ફૂડ એન્ડ સપ્લાય વિભાગ નવા રાશન કાર્ડ બનાવવાથી લઈને તેમાંથી નામ કમી કરવાનું કામ કરે છે.સાથે જ, એવા વૃદ્ધો જેમને વૃદ્ધાવસ્થામાં પેન્શન મળતી નથી, તેઓને પણ આ કાર્ડ દ્વારા દર મહિને ફ્રી માં અનાજ આપવામાં આવે છે.સરકાર આવા વડીલોને દર મહિને 10 કિલો અનાજ (6 કિલો ઘઉં અને ચાર કિલો ચોખા) આપે કરે છે. અન્નપૂર્ણા યોજના દ્વારા આ રાશન આપવામાં આવે છે.
અત્યંત ગરીબ એટલે એવા નાગરિક જેમની આવકનો કોઈ સ્ત્રોત નથી અને જો આવક છે તો પણ નામ માત્રની હોય છે. એવા લોકો જેમને ગુજરાન ચલાવવા માટે પરિવાર તરફથી પણ મદદ મળતી નથી. જે વડીલો પાસે અન્નપૂર્ણા યોજના કાર્ડ હોય છે તેમને આ સુવિધા મળે છે. આ કેટેગરીના કાર્ડ્સમાં લાચાર, અત્યંત ગરીબ અને વંચિત લોકોના સામેલ કરવામાં આવે છે.આ યોજનાનો સંપૂર્ણ ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવે છે. રાજ્યોને ફક્ત કાર્ડ જારી કરવા અને યોજના હેઠળ લાભકર્તાને લાભ આપવાની જવાબદારી આપવામાં આવે છે. અન્નપૂર્ણા યોજના હેઠળ જારી કરાયેલા આ રાશન કાર્ડનો સફેદ રંગનો હોય છે.
જન્મ વખતે ફાયદો વાચો પૂરો લેખ : વ્હાલી દિકરીના જન્મ પર સરકાર તરફથી 110000 રૂપિયા મળશે, જાણો વધુ વિગત
વન નેશન વન રેશનકાર્ડ (One Nation One Ration Card)
આ વ્યવસ્થા હેઠળ કોઈપણ રાજ્યનો રાશનકાર્ડ ધારક દેશના કોઈપણ ખૂણામાંથી રાશન લઈ શકે છે. અત્યાર સુધીમાં 24થી વધુ રાજ્યો તેમાં જોડાઈ ચૂક્યા છે.અને લોકોને કઠોળ, ચોખા અને ઘઉં વગેરે સરળતાથી મળી શકે તે માટે સરકારે ‘વન નેશન વન કાર્ડ’ સિસ્ટમ અપનાવી છે.
One Comment