હેલ્થ : શિયાળામાં પગના વાઢિયામાંથી મેળવો છુટકારો,આ દેશી ઇલાજથી..!
શિયાળાની શરૂઆત થતાની સાથે જ ઠંડીના કારણે અનેક લોકોના પગમાં વાઢીયા પડી જતા હોય છે. જો કે આ વાઢીયાથી વ્યક્તિ બહુ જ હેરાન-પરેશાન થઇ જતી હોય છે. જેને કારણે ઘણી વખત ચાલવામાં પણ સમસ્યાઓ થવા લાગે છે. તે સિવાય વાઢિયામાંથી લોહી નીકળવા લાગે છે. જાણો અહી કેટલીક ટિપ્સ, જેને જાણીને તમે વાઢીયાને જડ મૂળમાથી છુટકારો…

શિયાળાની શરૂઆત થતાની સાથે જ ઠંડીના કારણે અનેક લોકોના પગમાં વાઢીયા પડી જતા હોય છે. જો કે આ વાઢીયાથી વ્યક્તિ બહુ જ હેરાન-પરેશાન થઇ જતી હોય છે. જેને કારણે ઘણી વખત ચાલવામાં પણ સમસ્યાઓ થવા લાગે છે. તે સિવાય વાઢિયામાંથી લોહી નીકળવા લાગે છે. જાણો અહી કેટલીક ટિપ્સ, જેને જાણીને તમે વાઢીયાને જડ મૂળમાથી છુટકારો મેળવી શકો છો.
(1) શિયાળામાં હળદર, તુલસી અને એલોવેરાનો લેપ બનાવી એડી પર લગાવવો જોઇએ. જેની બહુ જલદી અસર જોવા મળે છે આ ઉપાય તમે ઘરે સરળતાથી કરી શકો છો.
(2) વાઢિયાની સમસ્યાથી રાહત રાહત માટે લીંબુનો રસ, ગુલાબજળ અને દીવેલની એક-એક ચમચી લઇ મિકસ કરીને એડી પર રોજ રાતે માલીશ કરો. જેનાથી રાહત મળશે.
(3) દીવેલમાં કડવા લીમડાની લીંબોળી નીચોવીને ખુબ હલાવવી. ત્યારબાદ એકરસ કરી ચોપડવાથી પગમાં પડેલા ચીરા ઝડપથી મટે છે.
(4) જો એડીઓ વધારે ફાટી ગઇ હોય તો એક ચમચી ઘી અને મીણ લો. તેને ગરમ કરો. પછી રૂના પૂમળાં દ્વારા એક-એક ટીપું એડીઓની તિરાડોમાં ટપકાવો. શરૂઆતમાં થોડીક બળતરા થશે. પણ આ અકસીર ઉપાય છે
(5) દોઢ ચમચી વેસેલિનમાં એક નાની ચમચી બોરિક પાઉડર નાંખીને સારી રીતે મેળવો. અને ચીરા પડેલી પાની ઉપર સારી રીતે લગાવો. થોડા જ દિવસોમાં એડી પરના ચીરા રૂઝાઈ જશે.
(6) પગમાં ચીરા પડતા હોય તો આઠ ચમચી થોરના દુધમાં બે ચમચી તલનું તેલ અને સહેજ સીંધવ મેળવી ગરમ કરવું. થોરનું દુધ બધું જ બળી જાય અને તેલ બાકી રહે ત્યારે તેલ ગાળીને બાટલીમાં ભરી લેવું. આ તેલ પગના ચીરામાં સવાર સાંજ લગાડતા રહેવાથી થોડા દીવસમાં જ ચીરા મટી જાય છે.
(7) કેળામાં રહેલ કેલ્શિયમથી વાઢિયા મટવામાં મદદરૂપ મળે છે.પાકા કેળાને બરાબર મસળી વાઢિયા પડેલા ભાગમાં પંદર મિનીટ મસળવું અને પછી ધોઇ નાખવા.