પાટીદાર સમાજ માટે, શું છે ‘ઉમાછત્ર યોજના’
પાટીદાર સમાજના 1 લાખ પરિવારને 1 હજાર કરોડની ‘ઉમાછત્ર યોજના’થી સુરક્ષિત કરવામાં આવશે તેવો સંકલ્પ જગત જનની મા ઉમિયાના ધામ વિશ્વઉમિયાધામ ખાતે યોજાયેલા પાટોત્સવ સમારોહમાં લેવામાં આવ્યો છે. વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશન આ વર્ષે પાટીદાર સમાજના 100 જરૂરિયાતમંદ ગરીબ પરિવારની દીકરીના વિનામૂલ્યે લગ્ન કરાવશે. ગઈકાલે અમદાવાદના જાસપુર ખાતે નિર્માણ પામનારા વિશ્વ ઉમિયાધામના પ્રથમ પાટોત્સવની ઉજવણી કરી…

પાટીદાર સમાજના 1 લાખ પરિવારને 1 હજાર કરોડની ‘ઉમાછત્ર યોજના’થી સુરક્ષિત કરવામાં આવશે તેવો સંકલ્પ જગત જનની મા ઉમિયાના ધામ વિશ્વઉમિયાધામ ખાતે યોજાયેલા પાટોત્સવ સમારોહમાં લેવામાં આવ્યો છે. વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશન આ વર્ષે પાટીદાર સમાજના 100 જરૂરિયાતમંદ ગરીબ પરિવારની દીકરીના વિનામૂલ્યે લગ્ન કરાવશે. ગઈકાલે અમદાવાદના જાસપુર ખાતે નિર્માણ પામનારા વિશ્વ ઉમિયાધામના પ્રથમ પાટોત્સવની ઉજવણી કરી હતી. તેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત હજારો ભાવિકોએ ભાગ લીધો હતો.
શું છે આ “ઉમાછત્ર યોજના” ? આ ઉમાછત્ર યોજનાથી પાટીદાર સમાજના 1 લાખ પરિવારને 1 હજાર કરોડની સુરક્ષિત કરાશે. આ જાહેરાત સંસ્થાના પ્રમુખ આર.પી.પાટીલ દ્વારા કરવામાં આવી હતી. વધુમાં વિશ્વનું સૌથી ઊંચુ ઉમિયા માતાજી મંદિરનું નિર્માણ થાય તે પહેલા 1 લાખ પરિવારને આ યોજનાનો લાભ અપાશે. પરિવારોનો કોઈ પણ સભ્ય જે દાન આપી આ યોજનાનો લાભાર્થી બને તેના મૃત્યુ બાદ પરિવારને 10 લાખ રૂપિયા સંસ્થા આપશે.
વિધ્યાર્થી સવોતો ખાશ વાચો : રૂપાણી સરકારની વિદ્યાર્થીઓને ભેટ, કરશે 20 હજાર રૂપિયાની સહાય
- આ અંગે વધુમાં પાટીદાર સમાજનો કોઈ પણ પરિવાર માત્ર 3 હજારથી 4 હજારનું દાન નોંધાવી ઉમાછત્ર યોજનાનો લાભ લઈ શકશે. તેમાં દર વર્ષે 1200 થી 2000નું દાન પણ આપવાનું રહેશે. જો કોઈ પણ પરિવાર એક જ વખતમાં 31 હજારનું દાન આપે છે તો પરિવારના મોભીના 55 વર્ષ સુધીમાં મૃત્યું થાય તો પરિવારને 10 લાખ રૂપિયાની સંસ્થા મદદ કરશે. જો કોઈ પરિવાર 8.5 હજારનું દાન એક વર્ષમાં ચાર વખત આપે છે તો પણ ઉમાછત્ર યોજનાનો લાભ મળશે.
- આ સંસ્થા 10 લાખ રૂપિયાની મદદ કરશે જ્યારે 55 વર્ષ સુધીની ઉમરમાં જ્યારે પરિવારના મોભી પર ઘર ચાલતું હોય તેવા સમયમાં મોભીનું દુઃખદ અવસાન થાય તો.
- વધુમાં પાલખીયાત્રામાં મા ઉમિયાનો દિવ્યરથ પણ જોડાયો હતો અને સવારે 10.30 કલાકે મંદિરને એક વર્ષ પૂર્ણ થતાં યોજાયેલા પાટોત્સવ નિમિતે માતાજીના મંદિરને ધજારોહણ કરાયું હતું. અને તેમાં 21 ફૂટ લાંબી ધજા ચઢાવી હતી અને સાંજે 6.30 કલાકે 1008 દિવડાની મહાઆરતીનું આયોજન કરાયું હતું.
One Comment