આ ગુજરાતમાં શક્ય છે ? જુનુન એવું ચડ્યું કે યુવતીને પીઠમાં 13 જેટલા છરીના ઘા માર્યા
ક્યારે અટકશે ગુનાઓ ? લાગે છે કે હવે ગુજરાતમાં પણ દિવસેને દિવશે ગુનાઓ વધતાં જાય છે.તેવામાં જેતપુર તાલુકાના જેતલસર ગામે એક સગીરાની હત્યાનો મામલો સામે આવ્યો છે. ગઈકાલે ગામની સૃષ્ટિ રૈયાણીની તેના ઘરમાં જ હત્યા કરવામાં આવી હતી. ગામના લોકોએ આજે ધંધા રોજગાર બંધ રાખી આરોપીને પકડવાની અપીલ કરી છે. જયેશ સરવૈયા નામના યુવાને સગીરાની…

ક્યારે અટકશે ગુનાઓ ? લાગે છે કે હવે ગુજરાતમાં પણ દિવસેને દિવશે ગુનાઓ વધતાં જાય છે.તેવામાં જેતપુર તાલુકાના જેતલસર ગામે એક સગીરાની હત્યાનો મામલો સામે આવ્યો છે. ગઈકાલે ગામની સૃષ્ટિ રૈયાણીની તેના ઘરમાં જ હત્યા કરવામાં આવી હતી. ગામના લોકોએ આજે ધંધા રોજગાર બંધ રાખી આરોપીને પકડવાની અપીલ કરી છે. જયેશ સરવૈયા નામના યુવાને સગીરાની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે. સગીરાના માતા-પિતા ખેતરમાં હતા ત્યારે તેના ઘરમાં ઘૂસીને જ હત્યા કરવામાં આવી હતી.
પ્રેમ પ્રકરણમાં યુવતીની હત્યા કરવામાં આવી હતી. જે બાદ ગામ બંધ રાખવામાં આવતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગામ લોકો અને પોલીસે પરિવારજનોને સમજાવવાનો પ્રયાસ પણ કર્યો, પણ છતાં તેઓ માન્યા નથી.જતપુર તાલુકાના જેતલસર ગામમાં એક સગીરાની ધોળા દિવશે કરપીણ હત્યા થઈ હતી. ગામમાં રહેતા કિશોરભાઈ રૈયાણીની દીકરી શ્રુષ્ટિ રૈયાણીની હત્યા તેના જ ઘરે કરવામાં આવી હતી. તેના પ્રેમી દ્વારા અસંખ્ય છરીના ઘા મારી ક્રૂર હત્યા કરવામાં આવી હતી. જેના વિરોધમાં આજે જેતલસર ગામ સજ્જડ બંધ રહ્યું છે.
ગામ લોકો સ્વયંભૂ એકઠા થઈ ગામના તમામ ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. સાથે સાથે મૃતક શ્રૃષ્ટિના પરિવારજનોએ માંગ કરી કે, હત્યારા જયેશ સરવૈયાની જાહેરમાં સરભરા કરવામાં આવે અને જ્યાં સુધી જયેશની જાહેરમાં સરભરા કરવામાં નહિ આવે ત્યાં સુધી મૃતક સગીરાની લાશ સ્વીકારવામાં નહિ આવે. ગામના બંધના પગલે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતી તકેદારી જાળવવામાં આવી રહી છે.
ભેગા થયેલા ગામ લોકો સાથે પોલીસે વાત કરી તેના પરિવારજનોને સમજાવી સમગ્ર મામલો થાળે પાડવા તંત્રએ ભારે દોડધામ કરી હતી. મૃતક સૃષ્ટિના પરિવારજનોનું કહેવું છે કે, જ્યાં સુધી તેમની દીકરીની હત્યા કરનારા જયેશ સરવૈયાને પકડીને જાહેરમાં સજા કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ દીકરીનો મૃતદેહ સ્વીકારશે નહીં. ગામ લોકો અને પોલીસે પરિવારને સમજાવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ તેનું કોઈ પરિણામ નીકળ્યું ન હતું.
વા ભાભા વા હવે ઉપડી : બીજી પત્ની લાવવાના અભરખા, 60 વર્ષના વૃદ્ધ ચડી ગયા વીજળીનાં થાંભલા પર, પછી આવ્યો જોરદાર ટ્વિસ્ટ
જે સમયે સૃષ્ટિની હત્યા કરાઈ એ સમયે ઘરમાં સૃષ્ટિ અને તેનો ભાઈ હર્ષ ઘરમાં હતા. સૃષ્ટિનો એકતરફી પ્રેમી જયેશ ત્યાં આવ્યો હતો અને સૃષ્ટિને પોતાની સાથે આવવા કહ્યું હતું. સૃષ્ટિ અને તેના ભાઈએ આ બાબતનો વિરોધ કરતા જયેશ ઉશ્કેરાઈ ગયો હતો અને પહેલા હર્ષ પર ધારદાર હથિયારથી હુમલો કર્યો હતો. બાદમાં તેણે સૃષ્ટિ પર સંખ્યાબંધ ઘા કરી તેની હત્યા કરી નાખી હતી.
જયેશ અવાર-નવાર સૃષ્ટિના ઘરે આવતો હતો અને તેને પોતાની સાથે ભાગી જવા કહેતો હતો. પરંતુ સૃષ્ટિએ તેની વાત ન માનતા તેણે ઉશ્કેરાટમાં આવી જઈ હત્યા કરી નાખી હોવાનું કહેવાઈ રહ્યું છે. હત્યા કરી જયેશ ફરાર થઈ ગયો છે. પોલીસે જયેશની શોધખોળ માટે ચક્રો ગતિમાન કરી દીધા છે.
One Comment