વાવાઝોડું (સાઈક્લોન) કઈ બાબતોથી દૂર રહેશો, અને શું ધ્યાન રાખશો ?
આગામી દિવશોમાં ભારતીય હવામાન વિભાગે રાજ્યના સૌરાષ્ટ્ર તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી એક બે દિવસમાં તાઉ તે નામનું વાવાઝોડું સંભવિત પણે ત્રાટકી શકે તે અંગેની ચેતવણીઓ જારી કરી દીધી છે. આ પરિસ્થિતિમાં આપણે આ સંભવિત કુદરતી આફતથી બચવા માટે ક્યાં અગમચેતીના પગલાં લેવા અને કઈ બાબતોથી દૂર રહેવું જોઈએ તે અંગે જાગૃતિ કેળવવી જોઈએ, જેથી આ…

આગામી દિવશોમાં ભારતીય હવામાન વિભાગે રાજ્યના સૌરાષ્ટ્ર તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી એક બે દિવસમાં તાઉ તે નામનું વાવાઝોડું સંભવિત પણે ત્રાટકી શકે તે અંગેની ચેતવણીઓ જારી કરી દીધી છે. આ પરિસ્થિતિમાં આપણે આ સંભવિત કુદરતી આફતથી બચવા માટે ક્યાં અગમચેતીના પગલાં લેવા અને કઈ બાબતોથી દૂર રહેવું જોઈએ તે અંગે જાગૃતિ કેળવવી જોઈએ, જેથી આ આફતથી થનારી અસરોને ખાળી શકાય. નીચે રહેલી કેટલીક બાબતો જે સાવચેત રૂપે વાવાઝોડા રૂપી આફતમાથી બચી શકાય.
વાવાઝોડા પહેલા આટલું અવશ્ય કરશો
કોઈ પણ અફવાઓને ધ્યાન ઉપર લેશો નહિ, હાંફળા-ફાંફળા ન થશો અને ડરશો નહિ કે ડર ફેલાવશો નહિ.
આ વાવાઝોડા અંગેની હવામાન ખાતાની છેલ્લામાં છેલ્લી માહિતી મેળવવા માટે સતત રેડિયો સાંભળતા રહો, ટીવી અને અખબારો દ્વારા અપડેટ મેળવતા રહો જેથી જેથી આગામી સમયમાં વાવાઝોડું સામે પૂર્વ તૈયારીમાં રહીએ.
તમારા મોબાઈલ ફોન્સને પૂરતા ચાર્જ કરી રાખશો, શક્ય હોય ત્યાં સુધી એસએમએસથી બધાને સંદેશા પાઠવશો.
જીવન જરૂરી ચીજવસ્તુઓની એક કીટ બનાવી રાખો જે અણીના સમયે અને સલામતી માટે કામ લાગે.
તમારી કિંમતી ચીજવસ્તુઓ અને દસ્તાવેજોને વોટર પ્રુફ બેગ્સમાં સાચવીને મૂકી દો જેથી તે ખરાબ ના થાય.
તમારું ઘર મજબૂત અને સલામત હોય તે જરૂરી છે. જો સમારકામની આવશ્યકતા હોય તો તે તત્કાલ કરાવી લો. વળી, કોઈ ધારદાર ચીજવસ્તુઓ છૂટી રાખશો નહિ.
ઢોરઢાંખરની સલામતી માટે તેમને બાંધલા ન રાખશો, ખીલેથી છુટ્ટા મુકો જેથી માલ હાનિ ના થાય.
બાળકો ઉપર બાકી હતું હવે : બાળકો પર વેક્સિન ટ્રાયલના પ્રયોગની લીલી ઝંડી
વાવાઝોડા વખતે અને વાવાઝોડા બાદ આ બાબતો ધ્યાને આવશ્ય લેશો
ઘરની અંદર વીજળી અને વીજાણુ ઉપકરણો તથા ગેસની પાઈપલાઈનની મુખ્ય સ્વીચ બંધ રાખો જેથી મોટી જાન હાનિ ટળે.
વાવાઝોડાની અંતિમ માહિતી માટે સતત રેડીઓ કે અન્ય વિશ્વસનીય માહિતી સ્ત્રોતથી માહિતી મેળવતા રહો.
બારી-બારણાઓ બંધ રાખો જો તમારું ઘર-મકાન સલામત ન હોય તો વાવાઝોડું આવે તે પહેલા જ અન્ય સલામત સ્થળે ચાલ્યા જાઓ.
ગરમ-ઉકાળેલું અથવા ક્લોરીનયુક્ત પાણી જ પીવાનો આગ્રહ રાખો.
વાવાઝોડા અંગેની માત્ર સત્તાવાર માહિતી ઉપર જ વિશ્વાસ રાખો.
ઘરની બહાર તૂટેલા અથવા જર્જરિત મકાનોની આસપાસમાં પ્રવેશશો નહિ કે તેની નજીકમાં ઉભા રહેશો નહિ.
તૂટેલા વીજતાર કે વીજથાંભલાઓથી સલામત અંતર રાખશો. કોઈ ધારદાર ચીજવસ્તુઓથી પણ દૂર રહેશો.
સલામત આશ્રયસ્થાન શોધીને ત્યાં શરણ લેશો.
માછીમાર કે સાગરખેડુઓ માટે રેડીયો સેટ વધારાની ચાર્જ કરેલી બેટરી સાથે તૈયાર અને હાથવગી રાખે.
તમારી બોટ કે વહાણ અને તરાપા કોઈ સલામત સ્થળે યોગ્ય રીતે મજબૂતાઈથી બાંધીને રાખો.
One Comment