પહેલા જમાનામાં ક્યાં દવા ને હોસ્પિટલો હતી,અને આજે ?અહી વાત છે "દરેક દર્દનો એક ઈલાજ".
અરણી વૃક્ષ (Arani Tree) |
વાત છે અરણીનાં વૃક્ષની તે ૧૨ થી ૧૫ ફુટ ઉંચાં થાય છે જેને અતી સુગંધીત ફુલ આવે છે. અરણી તીખી, મધુર, કડવી, તુરી, ગરમ અને અગ્નીદીપક-જઠરાગ્નીને પ્રદીપ્ત કરનારી છે. એ વાયુ, સળેખમ, કફ થવો, સોજો આવવો, હરસ થઈ જવા , આમવાત, મેદ વધવું, કબજીયાત થાય અને પાંડુરોગ જેવા રોગોને સંપૂર્ણ નાશ કરે છે. તે જઠરાગ્ની પ્રદીપ્ત કરે છે અને આમ-ચીકાશનો નાશ કરે છે.
અરણીનાં પાન થોડા મસળવાથી સહેજ ચીકાશવાળો લીલા રંગનો રસ નીકળે છે. આ રસનો સ્વાદ તમતમતો (તીખાશ પડતો) સહેજ ખારો અને કડવાસ જેવો હોય છે. અરણીની છાલ થોડી ધોળાશ પડતી ફીક્કી ભુખરા રંગની હોય છે. તેને વધુ કારતક-માગસર મહિનામાં ધોળાં સુંદર મીઠી સુગંધીદાર ફૂલ આવે છે. તેનાં ફળ નાનાં, લીસાં અને ચળકતાં હોય છે. ઔષધમાં અરણીનાં પાન અને મુળ વપરાય છે.
અરણીના પાનનો ફાયદો
- એનાં મુળનો ઉકાળો લેવાથી લોહીમાં રહેલું ઝેર બળી જાય છે.
- ઘણા પ્રકારના ચામડીના રોગો મટે છે.
- અરણીનાં પાન હરસ, કબજીયાત, આમવાત, વીષ, મેદ મટે છે.
- ખાસ કરીને સ્ત્રીઓના શુળાદી યોનીરોગો મટાડે છે. સગર્ભાને રક્તસ્રાવ થાય કે ગર્ભપાત અટકાવવા અરણી વાપરી શકાય. -પ્રસુતી પછી ગર્ભાશયનું સંકોચન કરાવવામાં અને ગર્ભાશયને મુળ સ્થીતીમાં લાવવા માટે એનો ઉપયોગ થઈ શકે છે
- અરણી જ્વરઘ્ન, જંતુઘ્ન, અને પૌષ્ટીક છે. એ હરસ, ઉદરશુળ, મળાવરોધ, વીષપ્રકોપ અને ચરબીની વૃદ્ધી દુર કરનારી છે.
- આંખોના રોગો, શરદી અને ઝેરમાં તથા ઉબકા-ઉલટીમાં તેનું સેવન ખુબ હીતકારી છે.
- અરણીનાં પાન વાટી તેનો લેપ કરવાથી શરીરનાં સોજા મટે છે.
- અરણીનાં મુળ પાણીમાં વાટી મોં પર લગાડતાં મુખ પરના કાળા ડાઘા મટે છે. (એને વ્યંગ કહે છે.)
- અરણીનાં પાન લસોટી લેપ કરવાથી અંડકોષનો સોજો મટે છે.
- સવાર-સાંજ અરણીના મુળના ચુર્ણ અથવા ઉકાળામાં ચણા જેટલું શીલાજીત નાખી પીવાથી મેદ ઓછો થાય છે.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ખબર ,જાણવા જેવું ,લાગણીસભર વાર્તાઓ, હેલ્થ, ફિલ્મિ ટિક્ટોક ,બ્યુટી, ધાર્મિક વાતો, રસોઈ ની રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે લાઈક કરો એકતા ન્યૂઝ