દેશમાં 2050 સુધીમાં વૃદ્ધોની વસ્તીમાં વીસ્ફોટ થશે, અને સંખ્યા 3 ગણી વધી જશે

old man images


અહી એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે, વૃદ્ધોની સંખ્યાને લઈને

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, દેશમાં વર્ષ 2050 સુધી વૃદ્ધોની સંખ્યા 31 કરોડથી વધુ થઇ જશે. ત્યારે દેશમાં વૃદ્ધોની સંખ્યામાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. જેમાં અત્યારની સરખામણીએ વર્ષ 2050માં આ સંખ્યા અંદાજે ત્રણ ગણી થઇ જશે.

2050માં દેશમાં 31 કરોડથી વધુ વૃદ્ધ હશે

સ્વાસ્થ્ય મંત્રાલયના એક સર્વે મુજબ 2011માં થયેલી વસ્તીગણતરીના આધાર બનાવવામાં આવે તો વર્ષ 2050માં દેશમાં 31 કરોડથી વધુ વૃદ્ધ હશે. વર્ષ 2011ની વસ્તીગણતરી મુજબ દેશમાં અંદાજે 10 કરોડ લોકોની સંખ્યા 60 વર્ષથી વધુ છે. દર વર્ષે આ સંખ્યા અંદાજે 3 ટકા સુધી વધી રહી છે.

60 વર્ષથી વધુ ઉંમરના લોકો અન્ય બિમારી સામે સંઘર્ષ કરી રહ્યા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન મુજબ આ પ્રકારનો અત્યાર સુધીનો સૌથી મોટો સર્વે છે. ભવિષ્યમાં સ્વાસ્થ્ય ચિંતાઓને જોતા આ ખૂબ ફાયદાકારક હશે, જેથી નીતિઓમાં ફેરફાર કરી શકાય. આ રિપોર્ટ મુજબ 60 વર્ષથી વધુ ઉંમરના અંદાજે 55 ટકા લોકો દેશમાં કોઇ અન્ય બિમારી સામે સંઘર્ષ કરી રહ્યા છે. તેમાં પણ અંદાજે 40 ટકા લોકોમાં કોઇ એક પ્રકારની અપંગતા છે, જ્યારે 20 ટકા લોકોમાં માનસિક તણાવ અથવા બિમારી જેવા લક્ષણ છે.

રિપોર્ટની માનવામાં આવે તો, જે 55 ટકા વૃદ્ધ કોઇ અન્ય બિમારી સામે સંઘર્ષ કરી રહ્યા છે, તેમાંથી 90 ટકાની સ્થિતિ એવી છે, જેમની ઘરે સારવાર સંભવ છે. પરંતુ જ્યારે 10 ટકા લોકો એવા છે, જેમને તાત્કાલિક કોઇ મોટી પ્રોફેશનલ મદદની જરૂર છે.

આ ઉપરાંત સ્વાસ્થ્ય વિભાગના વડપણ હેઠળના રિપોર્ટે IIPS, હાર્વર્ડ સ્કૂલ ઓફ પબ્લિશ હેલ્થ, યૂનિવર્સિટી ઓફ સાઉથ કેલિફોર્નિયા વગેરેએ તૈયાર કર્યો છે. ભવિષ્ય માટે નીતિઓ તૈયાર કરવાના હિસાબથી આ પ્રકારનો અભ્યાસ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ તૈયાર કરવા માટે દેશના તમામ રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશમાં સર્વે કરાયો, જેમાં 70થી વધુ લોકોએ ભાગ લીધો.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું

Bottom Ads