શિયાળો : આદુવાળી ચા વધુ માત્રામાં પીતા હોવ તો ચેતી જજો, નહિતર થશે આવી તકલીફો

શિયાળો : આદુવાળી ચા વધુ  માત્રામાંપીતા હોવ તો ચેતી જજો, નહિતર થશે આવી તકલીફો

વધુ પ્રમાણમાં આદુ નાખેલી ચા પીવાથી શરીરને ગંભીર નુકસાન થાય છે

શિયાળામા મોટાભાગના લોકો આદુવાળી ચા પીવાનું પસંદ કરે છે. જોકે શિયાળામાં જેને શરદી અને કફ પ્રકૃતિ હોય તેના માટે આદુવાળી ચા ફાયદાકારક રહે છે. પરંતુ શું તમે જાણો છો કે નિયમિત અથવા વધુ માત્રામાં આદુવાળી ચા પીવી એ સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ સાબિત થઇ શકે છે. 

દિવસમાં 5 ગ્રામથી વધારે આદુનું સેવન ન કરવું

આદુવાળી ચાનું વધુ પડતું સેવન ફાયદાને બદલે નુકસાન પણ પહોંચાડે છે. તેથી, જો તમે આદુવાળી ચાના શોખીન છો,તો આટલું જાણી લેજો. કોઈએ પણ દિવસમાં 5 ગ્રામથી વધારે આદુનું સેવન ન કરવું , કારણ કે તેનાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. જો તમે આદુવાળી ચા પી રહ્યાં હોવ તો એક કપ ચામાં અડધી ચમચી આદુ ઘણું હોય છે.


પ્રેગનેન્ટ મહિલાઓએ તો વધુ સતર્ક રહેવાની જરૂર

જો તમને પાચન સંબંધી સમસ્યા છે તો તમારે આખા દિવસમાં 1.2 ગ્રામથી વધારે આદુનું સેવન ન કરવું જોઈએ. આદુના વધારે સેવનથી પાચન સંબંધિત સમસ્યાઓ વધી શકે છે. પ્રેગનેન્ટ મહિલાઓએ તો વધુ સતર્ક રહેવાની જરૂર છે. તેમણે આખા દિવસમાં 2.5 ગ્રામથી વધારે આદુનું સેવન ન કરવું જોઈએ. આમ તો પ્રેગનેન્સી દરમિયાન મહિલાઓએ ચા જ ન પીવી જોઈએ, કારણ કે તેનાથી એસિડિટી થવાનો ખતરો રહે છે.


ધ્યાનમાં રાખવા જેવી બાબતો

એ સિવાય વધારે આદુના સેવનથી બ્લડ શુગરનું સ્તર પણ ઓછું થઈ શકે છે. ચામાં વધારે આદુ નાખવામાં આવે તો એ ચા પીવાથી પેટમાં બળતરા થાય છે. ખાલી પેટ આદુવાળી ચા ભૂલથી પણ ન પીવી જોઈએ, કારણ કે આવું કરવાથી પેટ ખરાબ થઈ શકે છે. આદુવાળી ચાનું વધારે સેવન બેચેની અને ઊંઘ ન આવવાનું કારણ પણ બની શકે છે. એટલે સૂતા પહેલા ચા ન પીવી જોઈએ.


ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું

Bottom Ads